રાણકી વાવ

રાણકી વાવ : રાણકી વાવ ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલી પ્રસિદ્ધ ઐતિહાસિક વાવ છે . સોલંકી વંશના ભીમદેવ પહેલાંની પટરાણીનું નામ ઉદયમતી હતું . ઉદયમતીએ પોતાના પતિની યાદમાં પાટણના સહસ્ત્રલિંગ તળાવ પાસે આ સુંદર રાણકીવાવ બંધાવી હતી .

આ વાવ જમીનની સપાટીએથી સાત મજલા ( માળ ) ઊંડી છે . દરેક માળની દીવાલો પર દેવ – દેવીઓ , નર્તકીઓ , દ્વારપાળો , પ્રાણીઓ વગેરેના સુંદર શિલ્પો છે . આ વાવના સ્તંભો અને દીવાલો સોલંકી વંશ અને તેની વાસ્તુકલાના ઉત્કૃષ્ટ નમૂના છે . આ વાવમાં રામ , વામન , કલ્કિ , મહિષાસુરમર્દિની વગેરે અવતારો શિલ્પો પર સુંદર રીતે કંડારેલા છે .

ભારતની આઝાદી પછી આ વાવનું ઉત્નનન કરવામાં આવ્યું અને ઐતિહાસિક વારસાનું એક અપ્રતિમ સ્વરૂપ આપણાને જોવાં મળ્યું . રાણકી વાવ એકમાત્ર એવી વાવ છે જે વિશ્વ વિરાસત સ્થળની સૂચિમાં ( 23 જૂન , 2014 ના રોજ ) સામેલ થઈ છે .

Leave a comment

Design a site like this with WordPress.com
Get started