દુલા ભાયા કાગ

દુલા ભાયા કાગ:

પાંચ ચોપડી ભણેલા ભાવનગરના સાહિત્યકાર દુલા ભાયા કાગની વાણી આજે સાચી પડી રહી છે દુલા ભાયા કાગ એટલે પ્રખ્યાત ગુજરાતી કવિ , ગીતકાર , લેખક કે જેઓ તેમની કાગવાણી માટે ખૂબ જ પ્રખ્યાત છે . તેમનો જન્મ સૌરાષ્ટ્રના કાગધામ ( મજાદર ) ખાતે થયો હતો . તેઓ ચારણ હતા . કહેવાય છે કે ચારણોની જીભ પર માતા સરસ્વતી બિરાજે છે , એમ તેમણે પણ ચારણી ભાષાના માધ્યમથી દલિત , શોષિત , પીડિતના દર્દને વાચા આપી હતી . તેમણે માત્ર 5 ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું હતું અને પછી તેઓ પોતના કૌટુંબિક વ્યવસાય ખેતીમાં જોડાયા હતા .

જ્ઞાન , ભક્તિ અને નીતિ – આચારણ જેવા વિષયોને ચારણી છંદ , ભજન અને દુહા જેવા કાવ્યપ્રકારોમાં ઢાળનારા આ કવિએ લોકપરંપરાના પ્રાચીન કલેવરમાં અર્વાચીન સંવેદનોને ગ્રંથમાળા કાગવાણીમાં ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે . જેના આઠ ભાગ આવ્યા છે , જેમાં ભજનો , રામાયણ , મહાભારતના પ્રસંગો અને ગાંધીજીની દર્શનશાસ્ત્ર તથા વિનોબા ભાવેના ભૂદાન આંદોલન પર આધારિત ગીતો છે . તેમણે મહાત્મા ગાંધી અને વિનોબા ભાવે પર પુસ્તક પણ લખ્યાં છે . 1962 માં તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો હતો . 25 નવેમ્બર 2004 ના રોજ ભારત સરકારના ટપાલ વિભાગ તરફથી તેમના માનમાં 5 રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી .

કાગવાણીની સમજવા જેવી વાતો : -એવા લોકોને પોતાના મિત્ર ક્યારેય ના બનાવશો જે લોકો પોતાની પર દેવું હોવા છતાં અનોખા મોજશોખ કરતા હોય છે , જેની પાસેથી પૈસા ઉધાર લીધા હોય એવા વ્યક્તિ સાથે મિત્રતા કરવી નહિ , ખાસ મિત્ર પાસેથી સલાહ લેનાર અને તેની જ ખાનગી માહિતી એ બહાર લાવનાર વ્યક્તિ સાથે પણ ક્યારેય મિત્રતા કરશો નહિ .

ભૂખ લાગવી એ સામાન્ય વાત છે પણ એકવાર પેટ ભરીને જમી લીધા પછી પણ ખાવું એ વિકૃતિ છે અને જે પોતે ભૂખ્યા રહીને બીજાને ભરપેટ ખવડાવે એ સંસ્કૃતિ છે .

વિદ્યાર્થીએ ભણવામાં , ખેડૂતને ખેતી કરવામાં , સ્ત્રીએ ઘી બનાવવા મુક્યું હોય એમાં અને યુવાનીની સાચવણીમાં ક્યારેય આળસ ના કરવી જોઈએ .

થાકેલા વ્યક્તિને ટૂંકો રસ્તો પણ લાંબો લાગે , ઊંઘ ના આવતી હોય એ વ્યક્તિને રાત પણ લાંબી લાગે અને ઉત્સાહ વગર સફળતા પણ બહુ દુર લાગે .

વગર મહેનતે બનેલ ધનવાન , થોડા પાણી વાળી નાની નદી અને આકાશમાં ઉંચે ઉડતું પાંદડું પોતાની જાતને મહાન સમજે છે .

નથ નાખવાથી બળદ કાબુમાં આવે છે , અંકુશ કરવાથી હાથી કાબુમાં આવે છે , નમ્રતાથી વાત કરવામાં આખું વિશ્વ કાબુમાં થાય છે અને જો બુદ્ધિમાન અને વિદ્વાનોને કાબુમાં કરવા માટે વિનયથી વાત કરવી પડે છે .

આવી તો ઘણીય વાતો કવિની છે કવિશ્રી ને સતસત નમન

થોળ પક્ષી અભ્યારણ

થોળ તળાવ : થોળ તળાવ ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલ મહેસાણા જિલ્લાના કડી તાલુકા માં સ્થિત થોલ ગામ નજીક કૃત્રિમ તળાવ તરીકે સ્થિત છે. તે 1912 માં સિંચાઈ ટાંકી તરીકે બનાવવામાં આવ્યું હતું. તે એક તાજા પાણીનું તળાવ છે જે કાદવથી ઘેરાયેલું છે. 1988 માં તેને થોલ પક્ષી અભ્યારણ્ય તરીકે જાહેર કરાયું હતું; તે પક્ષીઓની 150 જાતિઓનું નિવાસસ્થાન છે, લગભગ 60% વોટરબર્ડ છે. ઘણા સ્થળાંતર કરનારા પક્ષીઓ તળાવ અને તેના પરિઘમાં માળો અને જાતિ કરે છે. અભયારણ્યમાં નોંધાયેલી પક્ષીઓની બે સૌથી પ્રખ્યાત જાતિઓ ફ્લેમિંગો અને સારુસ ક્રેન (ગ્રસ એન્ટીગોન) છે. આ અભયારણ્યને પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ, 1986 (1986 ની 29) ની અનુરૂપ, ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે, જેના માટે મુસદ્દાની સૂચના તૈયાર કરવામાં આવી છે

ઇતિહાસ : શરૂઆતમાં તળાવ 1912 માં ગાયકવાડ શાસન દ્વારા ખેડુતોને સિંચાઇ સુવિધાઓ પૂરી પાડવા માટે ટાંકી તરીકે બનાવવામાં આવ્યું હતું. આનાથી તળાવના પાણીના વપરાશકારના અધિકારની સ્થાપના થઈ. હાલ તળાવનું સંચાલન અને સંચાલન ગુજરાત સરકારના વન અને સિંચાઇ વિભાગના દ્વિ નિયંત્રણ હેઠળ છે

સાળંગપુર

કષ્ટભંજનદેવ મંદિર. સાળંગપુર. ગુજરાત

સાળંગપુર:

સાળંગપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા બોટાદ જિલ્લામાં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા બરવાળા તાલુકામાં આવેલું એક ગામ છે.

આ ગામ અહીં આવેલા કષ્ટભંજન દેવ હનુમાન મંદિરને કારણે પ્રખ્યાત છે. આ મંદિર, સ્વામીનારાયણ સંપ્રદાય હસ્તક છે અને લોકોમાં એવી માન્યતા પ્રવર્તે છે કે અહીં ભૂત વગેરેનો વળગાડ દૂર થાય છે.

હનુમાન મંદિર, સાળંગપુર : ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામામાં આવેલું કષ્ટભંજન દેવ હનુમાનનું મંદિર છે, તે સાળંગપુરના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે.

ઇતિહાસ :

મંદિરના ઈષ્ટદેવ કષ્ટભંજન હનુમાનદાદાની મૂર્તિની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયનાં ગોપાળાનંદ સ્વામીએ કરી હતી. ગામના દરબાર વાઘા ખાચરને વ્યવહાર મંદ હતો ત્યારે ભગવાન સ્વામિનારાયણના પ્રથમ કોટિનાં સંત ગોપાળાનંદ સ્વામીએ આ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી. તે વખતે હનુમાનજીનું શરીર ધ્રુજવા લાગ્યુ. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કાષ્ઠની લાકડી વડે મૂર્તિને સ્થિર કરી દૈવત મૂક્યું. તે વખતથી આ મંદિરમાં ભુત-પ્રેત-પિશાચ-ડાકણ-વળગણનો નાશ કરવા ભક્તો ઉમટી પડે છે. હાલમાં જે નવા પ્રકારનું મંદિરનું બાંધકામ છે તે શાસ્ત્રીજી મહારાજે કરાવ્યું હતું. તેઓ લગભગ ઇ.સ. ૧૮૮૦ની આજુબાજુ મહંત પદ પર રહ્યા હતા.

પહેલી (મંગળા) આરતીનાં દર્શન કરવા માટે અમદાવાદથી રાત્રે ૧૦:૩૦ અને ૧૨:૩૦ની બસ મળે છે જે સીધી મંદિર પાસે ઉતારે છે. મંદિરમાં સવારે પહેલી મંગળા આરતી ૫:૩૦ વાગ્યે થાય છે.

કચ્છ રણ ઉત્સવ

કચ્છ રણ ઉત્સવ :

રણોત્સવ એટલે રણમાં ઉજવાતો ઉત્સવ. દુનિયાના અન્ય પ્રખ્યાત રણ વિસ્તારોમાં પણ આવા ઉત્સવોનું આયોજન પ્રવાસનપ્રવૃત્તિને વેગ આપવાના હેતુથી કરવામાં આવે છે. કચ્છ ઉપરાંત આફ્રિકા ખંડમાં આવેલા સહરાના રણ અને ભારત દેશમાં રાજસ્થાનના રણ ખાતે આ પ્રકારના ઉત્સવો યોજવામાં આવે છે.

ગુજરાતના કચ્છ જિલ્લામાં દર વર્ષે રણોત્સવનું આયોજન થાય છે, જે આ વર્ષે પણ ફેબ્રુઆરી માસમાં ધોરડા ખાતે યોજાઈ ગયો. સામાન્ય રીતે રણોત્સવ ખારા પાણીના સરોવર પાસે યોજવામાં આવે છે.

આ ઉત્સવ દરમિયાન રણપ્રદેશમાં ઊંટ ઉપર ભ્રમણ, કચ્છની સંસ્કૃતિનું દર્શન કરાવતા ભુંગાઓમાં રાત્રિરોકાણ, કચ્છની સંસ્કૃતિના જનજીવનની ઝાંખી કરાવતા પ્રદર્શનો, કચ્છના સંગીત, ભરતકામ, માટીકલા, ચિત્રકામના ક્ષેત્રમાં નીવડેલા કલાકરોના કસબનું નિદર્શન, કચ્છની વાનગીઓ વગેરેનો લાભ મેળવી શકાય છે. રણોત્સવની શરુઆત દેસલસર સરોવરથી થાય છે જે ડિસેમ્બર મહિનામા યોજાય છે.

Saputara

સાપુતારા એ એક ગિરિમથક છે જે સહ્યાદ્રી અથવા પશ્ચિમ ઘાટમાં સ્થિત છે. સાપુતારા શહેર એ ગુજરાતના ડાંગ જિલ્લાનો એક ભાગ છે. સાપુતારા એક પર્યટક સ્થળ છે

ખાસ કરીને લોકો ગર્મી ના સમયગાળા દરમિયાન આ ગિરિમથક એટલે કે આ જગ્યા પર ફરવા માટે મોટી સંખ્યા માં આવતા હોય છે

રાણીનો હજીરો

ગુજરાતના અમદાવાદામાં માણેકચોકમાં આવેલી કબરોનો સમૂહ

અહમદશાહ(1)ની રાણીઓની કબર

ઇતિહાસ અને સ્થાપત્ય

રાણીનો હજીરો માણેક ચોકમાં અહમદ શાહની કબરની પૂર્વમાં આવેલો છે. આ બાંધકામ જમીનથી ઉંચું છે અને દરવાજા વાળું છે. તેની દિવાલો કોતરણી વાળા પથ્થરોની બનેલી છે. ૩૬.૫૮ મીટરનું ચોરસ પ્રાંગણ કદાચ ૧૪૪૫ની સાલમાં બનેલ છે. પ્રાંગણમાં પથ્થરોની બનેલી અહમદશાહ પ્રથમની અને ગુજરાત સલ્તનતના અન્ય શાસકોની રાણીઓની કબરો આવેલી છે. આ કબરો કોતરણી વાળી છે અને તેમાં મીના અને ધાતુની જડિત કોતરણી કરેલ છે.

મુખ્ય કબર મુઘલાઇ બીબી, મહંમદ શાહ બીજાની પત્નિ અને મહમદ બેગડાની માતાની છે. તે સફેદ આરસની છે અને તેની ઉપર ફારસી ભાષામાં લખાણ લખેલું છે. બાજુની કબર કાળા પથ્થરની છે અને તે મિરકી અથવા મુરકી બીબી, શાહ-એ-આલમની પત્નિની છે, જે રાણીની બહેન અને સિંધના જામની દીકરી હતી. આ કબરો ઉત્તમ કોતરણી ધરાવે છે, જે અહમદ શાહ પહેલાના વખતમાં પ્રચલિત થઇ હતી. પથ્થરો પરની કારીગિરી અને કોતરણી હિંદુ, જૈન અને મુસ્લિમ સ્થાપત્ય શૈલીઓની અસરો ધરાવે છે. કબરોની દેખરેખ રાખવા માટે હજિરાની અંદર કેટલાંક મુસ્લિમ પરિવારો વસે છે.

બજાર

આ વિસ્તારની આજુ-બાજુનો વિસ્તાર હવે સ્ત્રીઓનાં વસ્ત્રો, ઝવેરાત અને વસ્તુઓનું બજાર છે. ગરબાના પરંપરાગત વસ્ત્રો પણ અહીં મળે છે. ઘણાં પ્રકારના મુખવાસોની દુકાનો અહીં આવેલી છે

સીદીસૈયદની જાળીસીદી સૈયદની મસ્જિદમાં આવેલી જાળી

ઇતિહાસ :

આ જાળી સીદી સૈયદ દ્વારા ગુજરાત સલ્તનતના સુલ્તાન શામ-ઉદ-દિન મુઝ્ફફર ખાન ત્રીજાના સરદાર બિલાલ ઝાઝર ખાન માટે બનાવી હતી. તેનું બાંધકામ ઇ.સ. ૧૫૭૨-૭૩માં સલ્તનતના આખરી વર્ષોમાં થયું હતું.

સીદી સઈદે તેની જાગીરનાં ગામોની આવકમાંથી ફકત કંઈક બેનમૂન મસ્જિદ બનાવવી તેન ધૂનથી કામ શરૂ કરાવ્યું હતું પરંતુ, જહૂજાર ખાન નામના સીદી સરદાર સાથે પાછળથી તેને વાંકું પડતાં સીદી સઈદનાં ગામો પાછાં લઈ લેવાયાં હતાં. તે જ સમયે અકબરે ગુજરાત જીતી લેતાં સીદી સઈદની આવક બંધ થઈ જતાં તે મસ્જિદનું અધૂરું કામ પૂરું કરાવી શક્યો નહીં. તેથી એક જગ્યાએ જાળીના સ્થાને પથ્થર મૂકવામાં આવ્યા છે. સીદી સઈદનું અવસાન થતાં તેને તેણે જ બનાવડાવેલી આ મસ્જિદમાં દફનાવાયો હતો.

ઇતિહાસકાર રિઝવાન કાદરી તેમના પુસ્તક અતીતના આયનામાં અમદાવાદમાં નોંધ કરતાં લખે છે કે, ‘ગુજરાતમાં આ હબસીઓ(સીદી) ક્યારથી આવ્યા તેનો કોઈ ચોક્કસ ઉલ્લેખ નથી, પરંતુ સુલતાન અહેમદ ત્રીજાના સમયમાં સીદીઓ શકિતશાળી બન્યા તે સમયે જહૂજાર ખાન નામનો શકિતશાળી સરદાર હતો, જેને પાછળથી મોગલ રાજા અકબરે એક હત્યા બદલ હાથી નીચે ચગદાવી નાખ્યો હતો. આ સરદારના મિત્ર સીદી સઈદને તેની વફાદારીના કારણે કેટલાક ગામ અપાયાં હતાં.

સીદી સૈયદ તે ગામની આવકનો ઉપયોગ કેટલાંક સદ્કાર્યોમાં કરતાં તે તેના નામે જ પ્રચલિત બની.

વર્ષ ૧૯૦૦માં લોર્ડ કર્ઝને સીદી સૈયદની જાળીની મુલાકાત લઈને તેને સરકારી કચેરીમાં રૂપાંતર થતાં બચાવી હતી.

લોકપ્રિયતા : અમદાવાદની પ્રસિદ્ધ ઇમારતોમાંની એક હોવા ઉપરાંત સીદીસૈયદની જાળી અમદાવાદના ચિહ્ન તરીકે પણ વપરાય છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટે તેને પોતાના પ્રતીકમાં સ્થાન આપ્યું છે. અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશો પણ મહેમાનોને આ જાળીની પ્રતિકૃતિ ભેટમાં આપે છે. અમદાવાદની ઓળખનાં ચિહ્નો તરીકે સ્થાપિત થયેલી જાળીની પ્રતિકૃતિ બહારથી આવતા મુલાકાતીઓ તેમની સાથે લઈ જાય છે.

ભીમનાથ મહાદેવ મંદિર

લગભગ અંદાજે 5500 વર્ષ પહેલા પાંડવોના ગુપ્તવાસ દરમિયાન અહીં પાંચ ભાઈઓ માંથી ભીમ દ્વારા મહાદેવ ની સ્થાપના કરવામાં આવેલ હતી

ધાર્મિક મહાત્યમ :

પૌરાણિક કથા મુજબ ભગવાન શિવજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા અર્જુને મહાદેવની પૂજા કર્યા વિના જમવું નહી એવું વ્રત હતું. તેથી અજ્ઞાતવાસ દરમિયાન અહીંના જંગલમાં ક્યાંઈ શિવલિંગ ન મળતા દિવસો સુધી પાંડવો ભૂખ્યા રહ્યા. ભીમ તો ભૂખથી રહી શકે નહીં. આથી તેણે  શિવલિંગ આકારનો પથ્થર લઈ વૃક્ષ નીચે રાખ્યો અને તેના પર ફૂલો ચડાવ્યા. પછી ભાઈ અર્જુન અને માતા કુંતીને આ સ્થળ બતાવી જણાવ્યું કે અહીં જ શિવલિંગ છે.

શિવભક્ત અર્જુન ભાવવિભોર થઈને શ્રદ્ધાથી બાજુમાં વહેતી નદીમાંથી જળ લાવી શિવપૂજન કર્યું હતું. પછી પાંડવો જમ્યા. જમ્યા પછી ભીમે કહ્યું કે આ કોઈ શિવલિંગ નથી પરંતુ પથ્થર છે ત્યારે અર્જૂન કહે કે તે શિવલિંગ જ છે. ભીમ તે શિવલિંગને ઉપાડીને બતાવવા જતો હતો કે તે પથ્થર છે પણ તે શિવલિંગ તેનાથી ઉપડી નહીં.

આજે પણ આ શિવલિંગ મોજુદ છે. આ વૃક્ષનું મહત્વ એટલું બધુ છે, કે અહીં આવેલા શિવલિંગની ઉપર જ વરખડીનું વુક્ષ હોવાથી મંદિરના શિખરનું નિર્માણ થતું નથી. આ વિશ્વનું પહેલું મહાદેવનું મંદિર હશે જેમાં શિખર નથી અને મહાદેવ એક વૃક્ષ નીચે બિરાજમાન થયા છે. અનેક વાર પ્રયત્નો કરવા છતા આ વૃક્ષને કાપી અથવા તો પાડી શકાયું નથી. પ્રાચીન કાળમાં સૌરાષ્ટ્રનું મોટામાં મોટું અન્નક્ષેત્ર અહીંયા ચાલતું હતું. અહીંયા અનેક રાજા મહારાજા દર્શનાર્થે આવતા હતા.

આ ઝાડનો મહિમાં એટલો બધો છે, કે અહીં ચૈત્ર માસ દરમિયાન વૃક્ષ પરથી ખાંડ જરે છે. અને ભાવિકો દ્વારા તેનો પ્રસાદ તરીકે ઉપયોગ થાય છે. આ મંદિર એટલું પ્રખ્યાત થઇ ગયું છે, કે અહીં દેશ વિદેશથી લોકો દર્શન કરવા માટે આવે છે. અહીં ભક્તો માટે મહાપ્રસાદ સ્વરૂપે ભોજન માટે ભંડારો પણ કરવામાં આવે છે. કહેવાય છે, કે અહીં સૌપ્રથમ ભોજન પ્રસાદની શરૂઆત શિવાજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. 

નિર્માણ: શિવનો મહિમા અપરંપાર છે. દેવાધી દેવ મહાદેવ મંદિરોનો સમગ્ર વિશ્વમાં આવેલા છે. અને દરેક મંદિરની પોતાની આગવી વિશેષતા પણ છે. આવા જ ક્યાણકારી પરમ કૃપાળું સદા શિવના એક અલાયદા સ્થાન એટલે ભીમનાથ મહાદેવ. અમદાવાદથી 125 કિ.મી અને ધંધુકાથી 15-17કિ.મી દૂર ભાવનગર રોડ પર ભીમનાથ ગામ આવેલુ છે.

5500 વર્ષ પહેલા કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીંયા આવેલા અને ગુપ્તવાસ દરમિયાન અહીયાં ભીમનાથ મહાદેવની સ્થાપના કરી હતી. આ શિવ મંદિર શિખર વગરનું પ્રથમ મંદિર છે. એ વૃક્ષની નીચે આ મહાદેવની સ્થાપના કરેલી તે પણ 5500 વર્ષ જૂનું વરખડીનું વૃક્ષ પણ હાલ મોજુદ છે. જેટલો મહિમા ભગવાન શિવનો છે, તેટલો જ મહિમા અહીં આવેલા વરખડીના વૃક્ષના દર્શન કરવાનો છે. કહેવાય છે, કે અહીં આવેલા વરખડીના વૃક્ષનો અને ભગવાન મહાદેવનો સીધો સંબંધ છે.

Design a site like this with WordPress.com
Get started