



સંત સાયાંજી ઝૂલા :
આવા ભકતો આપણી ભૂમિ ના છે :ભક્ત સાયાજી ઝુલા જે ઈડર પાસેના કૂવાવા ગામના વતની હતા. એક દિવસ જયારે સાયાજી ઝુલા જે ઈડર રાજ દરબાર મા બેઠા હતા ત્યારે અચાનક ભર ડાયરામાં ઊભાં થઈ ને બે હાથ ઘસવા માંડયા અને આ જોઈ ડાયરાના માણસો એ પૂછયું કા ભગત આ શું ગાંડપણ આદર્યા છે ત્યારે ઝુલાજી એ કિધુ કે આ ગાંડપણ નથી પણ દ્વારકા ના નાથ ના વાઘાને જરા આગ લાગી હતી તે ઓલવતો હતો. ડાયરાના માણસો હસવા લાગ્યા અને કહ્યું કે ઝુલાજી હવે આવું તે કાંઈ બનતુ હશે ક્યાં દ્વારકા ને કયાં ઇડર હવે રાખો માપમાં રહો પણ રાજાને થોડોવહેમ અને થોડી શ્રદ્ધા હતી તેમને કહ્યું ભગત ખરેખર શું આ સાચું છે સાંયાજી એ કહ્યું હા મહારાજ ત્યારબાદ રાજાએ બે અસ્વાર ને એકબાજુ બોલવી તપાસ કરવા કહ્યું અનેે તે અસ્વારો મારતે ઘોડે ઉપડ્યા ઝટ આવે દ્વારકા લાંબી ખેપ પછી આ બન્ને અસ્વારો દ્રારકાના પૂજારી ને મળે છે અને આ વાત અંગે પૂછે છે કે આવી કોઈ ઘટના બની છે હાજર માંથી કોઈ પૂજારી એ કિધૂ કે હા આરતી વખતે ભગવાન ના વાઘા ને જયોત લાગી અને સળગવા લાગ્યા પણ અચાનક જાળ ની અગ્નિ ઓલવાઇ ગઈ પણ કેમ ઓલવાણી કાઈ ખબર નથી ત્યાર બાદ અસ્વારો પૂજારી ને ભગત જય દ્વારકાધીશ કહીં ઈડર આવવા નીકળી જાય છે અને દરબાર માં આવીને આ વાત કહે છે હા મહારાજ દ્વારકાનાથ ના પુજારી પણ મુંઝવણમાં છે કે આગ લાગી પણ ઓલવી કોણે અને કેવી રીતે એ ખબર નથી પડતી ત્યારબાદ તેમણે કહ્યું ઝુલાજીના હાથની તપાસ કરો તો ખબર અને પ્રમાણ બંને મળે અને ત્યારબાદ રાજાએ ઝુલાજી ને હાથ બતાવવા કહ્યું અને ઝુલાજી એ હાથ બતાવતા અરરરર આ શું ખરેખર તેમના હાથમાં ફોડલા ઊપડી ગયા હતા . આખો દરબાર ઝુલાજી ને જોઈ નમસ્કાર કર્યા વાહ ભગત હવે કયા કૂવાવા ને કયા દ્રારકા પણ ભકત ભગવાન થી મહાન છે આ સત્ય ઘટના બનેલી છે જે હો આવા સંતો ની
: વિરમદેવસિહ પઢેરીયા |