પલ્લીનો મેળો

રૂપાલ : પલ્લીનો મેળો ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના  રુપાલ ગામમાં વરદાયિની માતાના મંદિરે આસો સુદ નોમ ‍(૯)ના દિવસે ભરાતો પ્રસિધ્ધ મેળો છે. દેવી વરદાયિની માતાના શ્રદ્ધાળુ ભક્તો એ દિવસે માતાની પાલખી સાથે શોભાયાત્રા કાઢે છે.

આ રૂપાલ ગામમાં આદ્યશક્તિ વરદાયિની માતાનું મંદિર આવેલું છે . અહીંયા વરદાયિની માતાની પલ્લી ભરાય છે એટલે કે માતાના શ્રદ્ધાળુ ભક્તો આસો સુદ નોમના દિવસે માતાની પાલખી ( પલ્લી ) ને ઊંચકીને ગામમાં વરઘોડો કાઢે છે .

આ મેળાની એક ખાસિયત એ છે કે વરદાયિની માતાને પ્રસન્ન કરવા માતાની પલ્લી પર ચોખ્ખું ઘી ચડાવવામાં આવે છે . આ ચોખ્ખું ઘી ચડાવવાનું પ્રમાણ એટલું પુષ્કળ હોય છે કે જાણે ચોખ્ખા ઘીની નદીઓ વહેતી હોય .

વરદાયિની માતાની પાલખી ( પલ્લી ) ને જોવા ગુજરાતના જ નહિ પરંતુ વિદેશથી પણ લાખો શ્રદ્ધાળુ આ દિવસે ઊમટી પડે છે .

Leave a comment

Design a site like this with WordPress.com
Get started