તાના-રીરી મહોત્સવ

તાના-રીરી મહોત્સવ:

મહેસાણા જિલ્લાના વડનગરમાં આવેલ તાના – રીરી ના સમાધિ સ્થળે દર વર્ષે નવેમ્બર માસમાં રાજય સરકાર દ્વારા તાના રીરી મહોત્સવ ઉજવવામાં આવે છે .

આ મહોત્સવમાં સમૂહ ગાયન , સમૂહ સિતારવાદન , શાસ્ત્રીય ગાયન , અને શાસ્ત્રીય નૃત્યની વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવે છે .

આ મહોત્સવમાં દેશ – વિદેશના પ્રખ્યાત નૃત્ય કલાકારો અને સંગીત ક્ષેત્રના દિગ્ગજોને બોલાવવામાં આવે છે .

નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈએ તેની દીકરી શર્મિષ્ઠાને વડનગર પરણાવી હતી.આ શર્મિષ્ઠાની બે પુત્રી તાના અને રીરી હતી જે સંગીતની જાણકાર હતી .

એક દંતકથા પ્રમાણે , તાનસેન દ્વારા દીપક રાગ ગાવાથી તેના શરીરમાં બળતરા ચાલુ થઈ ગઈ હતી અને તે બળતરા માત્ર મલ્હાર રાગ ગાવાથી દૂર થઈ શકતી હતી ત્યારે તે મલ્હાર રાગ ગાય શકે તેવા સંગીતજ્ઞની શોધમાં વડનગર આવી પહોચ્યાં હતા .

તાના – રીરીએ મલ્હાર રાગ ગાઈ તાનસેનની પીડા મટાડી હતી પરંતુ તે સાથે તાના રીરીએ વચન લીધું હતુ કે તાનસેન આ વાતની જાણ કોઈને નહીં કરે . તાનસેને અકબરના દરબારમાં તાના – રીરીની પ્રશંસા કરી અને અકબરે તે બન્ને બહેનોને તેડવા સૈન્ય મોકલ્યું . ત્યારે તાના – રીરી બંને બહેનો એ જળસમાધિ લઈ લીધી .

તાના – રીરી મહોત્સવનું આયોજન વર્ષ -2003 થી દર વર્ષે કરવામાં આવે છે .

Leave a comment

Design a site like this with WordPress.com
Get started