ચિત્ર-વિચિત્ર નો મેળો

ચિત્ર-વિચિત્ર નો મેળો ગુજરાત રાજ્યનાં સાબરકાંઠા જિલ્લામાં આવેલા પોશિના તાલુકાના ગુણભાંખરી ગામમાં, મહાભારત કાળનાં ચિત્રવિચિત્ર મહાદેવ મંદિર ખાતે હોળીનાં તહેવાર પછીના ૧૪મા દિવસે ચિત્ર-વિચિત્ર ના મેળાને યોજવામાં આવે છે. આ મંદિર સાબરમતીઆકુળ અને વ્યાકુળ એમ ત્રણ નદીઓના સંગમસ્થાન પર આવેલું છે

આસપાસના વિસ્તારોમાંથી ભીલ જનજાતિના લોકો પણ મોટી સંખ્યામાં આ મેળો માણવા માટે આવે છે . ગરાસિયા અને ભીલ આદિવાસીઓ તેમના પરંપરાગત પોશાકમાં રંગીન કપડા , પુરુષોનો પોશાક સામાન્ય રીતે એક આસમાની રંગનું શર્ટ , ધોતી અને લાલ અથવા ભગવા રંગની પાઘડી આવેલ હોય છે . સ્ત્રીઓના ઘાઘરા ડોન શૈલીમાં જે 20 ગજ જેટલું લાબું હોય છે તે સાંસ્કૃતિક વારસાના પ્રતીકરૂપ છે .

આ મેળા દરમિયાન 37 જુદી – જુદી આદિવાસી સમુદાયના લોકો પોતાના ભેદભાવ ભૂલીને એક પરિવાર બનીને આ મેળો ઉજવે છે . આ મેળાને આદિવાસીઓના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે . આ મેળાનું આયોજન દર વર્ષે મહાભારતના ચિત્રવીર્ય અને વિચિત્રવીર્યની યાદમાં કરવામાં આવે છે .

એક દંતકથા પ્રમાણે મહાભારત કાળમાં અહીં ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય બને રોગમુક્ત થયાં હતા તેથી શ્રદ્ધાળુ આદિવાસી સ્ત્રી – પુરુષ પોતાના કે પોતાના સંબંધીઓને રોગમુક્ત કરવા અથવા રોગ – પીડાથી મુકત થવા માટે બાધા રાખે છે .

Leave a comment

Design a site like this with WordPress.com
Get started